સાથે રહેતી બે વ્યક્તિઓ…

ક્યારેક… સાથે રહેતી બે વ્યક્તિઓ વચ્ચેના અણબનાવો – મતભેદો – મનભેદો પાછળ એ બે વ્યક્તિઓ વચ્ચેનો લાગણીનો અભાવ જવાબદાર નથી હોતો. ખરેખર તો લાગણીઓનો અભાવ નહિ, અપેક્ષાઓનો પ્રભાવ હોય છે!  લાગણીઓના પૂરમાં અપેક્ષાઓ તણાતી આવે છે, જે બધું જ વેર-વિખેર કરી શકવાની પૂરેપૂરી  ક્ષમતા ધરાવે છે.
એ બે વ્યક્તિઓ વચ્ચે જો અભાવ હોય તો એ હોય છે સમજણ – જ્ઞાન – સ્વીકાર – અસ્વીકાર ની માત્રાનો, નહીં કે લાગણીઓનો!

© શિવાની ઠક્કર

3 thoughts on “સાથે રહેતી બે વ્યક્તિઓ…

Leave a reply to Ketan જવાબ રદ કરો